આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી અને મંડળ સશક્તિકરણ ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહી જિલ્લાના યુવાન કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણી માટે કામ કરવા તૈયાર રહેવા માટેનું આહવાન કરેલ
શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે યોજાયેલ ગીરગઢડા, ઉના,અને કોડીનાર શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી, પટેલ સમાજ ભવન નિર્માણ કાર્યમાં સહભાગી થયેલ.
માધવ રેસીડેન્સી” ખાતે
આજરોજ લાભપાંચમનાં શુભ દિવસે મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર દિનેશભાઇ વેકરીયા દ્વારા “માધવ રેસીડેન્સી” ખાતે રહેણાંક હેતુ અર્થે ખુલ્લા પ્લોટના વેચાણનો શુભ પ્રારંભ નિમિત્તે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.
કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.
આજરોજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર અને સાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મારી ઓફિસ ખાતે પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.
જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી,
આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી, જેમાં હાજરી આપી બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બાકી રહેલ સરલ એપ્લિકેશનમાં “OTP” વેરીફીકેશનની કામગીરી તત્વરિત પૂરું કરવાની સાથે આગામી નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.
કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો,
આજરોજ વિસાવદર તાલુકાના બરડીયા પટેલ સમાજ વાડી ખાતે અવધ હોસ્પિટલ & આઈ.સી.યુ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને બરડીયા ગામના સરપંચ શ્રી દ્વારા આરોગ્ય લક્ષી નિશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ તેમજનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રોગોના 15 થી વધુ નિષ્ણાંત ડો. કેમ્પમાં જોડાયા હતા જે કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો, આ કેમ્પમાં લાભ લેનારા જરૂરિયાતમંદ દર્દીઓને તપાસની સાથે સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.
નમ્રમુની મહારાજ સાહેબના શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.
આજરોજ ભવનાથ સ્થિત પારસ ધામ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.
લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલ
આજ તા.૪- નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે રૂ-૪૦ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલ જે પ્રસંગે ઉપસ્થિત રહેલ.
શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કેશોદ હવાઈ મથક ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.
આજ તા. ૪-નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે વિવિધ લોકાર્પણ, ખાત મુહૂર્ત અને જુનાગઢ પોલીસ દ્વારા આયોજીત “રનફોર જૂનાગઢ” કાર્યક્રમ પ્રસંગે પધારતા ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કેશોદ હવાઈ મથક ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.
કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત
આજરોજ ગીર સોમનાથ ખાતે કાર્યક્રમ અંતર્ગત પધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ નું કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું.